Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર નાં રાજવી મહારાણા શ્રી નટવરસિંહજી નાં નામે માર્ગ નું નામકરણ કરવા અને તેનું પુતળું મુકવા માંગ

પોરબંદર

પોરબંદરનાં રાજવી પરિવારે જનતા માટે અનેરું યોગદાન આપ્યું છે.પરંતુ તેના નામે માં કોઈ માર્ગ નું નામકરણ કે તેનું પુતળું મુકવામાં આવ્યું ન હોવાનું જણાવી સામાજિક કાર્યકરે મહારાણા નટવરસિંહજીના નામથી માર્ગ નું નામકરણ કરવા અને તેમનું સ્ટેચ્યુ મુકવા માંગ કરી છે.

પોરબંદર નાં સામાજિક કાર્યકર રસિકભાઈ પઢીયારે તંત્ર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે શહેર માં રાજવી પરિવારનું અનેરું યોગદાન રહ્યું છે.પ્રજાવત્સલ રાજવીઓ નાં હૈયે હમેશા શહેરીજનો નું હિત રહેતું હતું.શહેર ની ભાવસિંહજી હોસ્પિટલ,ભાવસિંહજી સ્કૂલ,દરિયા મહેલ,રૂપાળીબા બાગ,જૂની કોર્ટ બિલ્ડીંગ,રૂપાળીબા લેડી હોસ્પિટલ,દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ,આરજીટી કોલેજ સહીત અનેક ઈમારતો રાજવીઓ દ્વારા શહેરીજનો ને ભેટ રૂપે આપવામાં આવી હતી.

આજે પણ આ ભેટ રૂપે આપેલ ઈમારતો નો જ વપરાશ અનેક સરકારી કચેરી તરીકે કરવામાં આવે છે.પરંતુ બન્ને પક્ષ નાં રાજકીય આગેવાનો રાજવી પરિવારો નું ઋણ ભૂલી ગયા હોય તેમ બન્ને પક્ષો ની સરકારો એ શાશન કર્યું છે.પરંતુ હજુ સુધી મહારાણા નટવરસિંહજી કે અન્ય રાજવીઓ નાં નામ નો કોઈ માર્ગ કે તેઓનું પુતળું પણ મુકવામાં ની તસ્દી લીધી નથી.આથી સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રિજનું મહારાણા નટવરસિંહજી નામકરણ કરવામાં આવે તેમજ શહેરમાં કોઈ પણ માર્ગને મહારાણા નટવરસિંહજીનું નામ અને શહેરમાં યોગ્ય સ્થળે નટવરસિંહજીની સ્ટેચ્યુ મુકવામાં આવે તેવી રજૂઆત કરી છે.

વધુ માં તેઓએ જણાવ્યું હતું કે,બરોડા,જામનગર,ભાવનગર સહિતના જિલ્લાઓમાં તેમના મહારાણા, રાજવી પરિવારના માર્ગ અને સ્ટેચ્યુ જોવા મળે છે પરંતુ પોરબંદરમાં નહિ.મહારાણા પરિવારનું ઋણ તો કોઈ પણ રીતે ચૂકવી શકાય તેમ નથી.પરંતુ મહારાણા નટવરસિંહજીના નામનો માર્ગ અને સ્ટેચ્યુ મુકિ વર્તમાન શાશકો એ તેમનું ઋણ ચુકવવા પ્રયાસ કરવો જોઈએ તેવું પણ તેઓએ રજૂઆત માં જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે