પોરબંદર
પોરબંદર ખાતે જોઈન્ટ સબ–રજીસ્ટ્રાર કચેરી બંધ થવાના કારણે સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે કામનું ભારણ વધ્યું છે.જેથી અરજદારો ને ૮ દિવસ બાદ નું ટોકન મળે છે.જેથી જોઈન્ટ સબ રજીસ્ટ્રાર કચેરી ફરીથી કાર્યરત કરવા સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરાઈ છે.
પોરબંદર ના સામાજિક કાર્યકર જયેશભાઈ સવજાણી એ કલેકટર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર જીલ્લામાં જોઈન્ટ સબ-રજીસ્ટ્રાર કચેરી છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત હતી.જે અચાનક જ સરકારના આદેશથી બંધ કરી દેવામાં આવેલ છે.જેના કારણે સરકારના કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડયૂટીની આવકમાં નુકશાની ભોગવવી પડે તેવી સ્થિતીની નિર્માણ થયેલ છે.પોરબંદર જિલ્લો મોટો હોય તેમાં હાલમાં એક જ સબ–રજીસ્ટ્રાર હોય તેના કારણે દસ્તાવેજી કામના ભરાવાના કારણે ઓનલાઈન ટોકન ૮–૮ દિવસ બાદનું મળે છે.જેના કારણે અનેક દસ્તાવેજી વહેવારો અટકી પડે છે.અને સરકારની પણ કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડયૂટી આવક તેમજ મહેસુલી આવકમાં મોટાપાયે નુકશાન થાય છે.
તેમજ પોરબંદર જિલ્લાના નાગરીકોને ૮ થી ૧૦ દિવસના સમયગાળાનું ટોકન મળતા મુસીબતમાં મુકાય ગયેલ છે.જેથી પોરબંદરમાં ફકત એક સબ-રજીસ્ટ્રાર કચેરી હોય તેના કારણે ભષ્ટ્રાચાર પણ વધવાની શકયતા રહેલી છે.જેથી સરકારની આવકમાં તેમજ પ્રજાના હીત માટે પોરબંદર ખાતે તાજેતરમાં બંધ કરાવાયેલ જોઈન્ટ સબ–રજીસ્ટ્રાર કચેરી તાત્કાલીક અસરથી ચાલુ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે.જેથી આવકમાં પણ મોટાપાયે વધારો થશે.તેમજ પ્રજા પણ પોતાની મિલ્કતના વહેવારો સમયસર થતાં નીરાત અનુભવશે.તેથી આ બાબતે તાત્કાલીક ધ્યાનમાં લઈ પોરબંદર જિલ્લા ખાતે જોઈન્ટ સબ–રજીસ્ટ્રારની કચેરી ચાલુ કરવા રજૂઆત માં જણાવ્યું છે.