Friday, April 26, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરથી મુંબઇની વિમાની સેવા દોઢ વર્ષ બાદ ફરી શરૂ

પોરબંદર

પોરબંદર માં કોરોના ની બીજી લહેર દરમ્યાન રનવે અને ટેક્નિકલ કારણોસર પોરબંદરથી મુંબઈ સુધી ની વિમાનીસેવા ખોરવાઈ હતી.જે આજે ફરીથી શરૂ કરાઈ છે.

કોરોનાની મહામારી શરુ થતા પોરબંદર એરપોર્ટ પરથી તા. 25 માર્ચ 2020ના મુંબઈ અને અમદાવાદ ની વિમાનીસીવા બંધ થઈ હતી.ત્યાર બાદ કોરોના સંક્રમણ ઓછું થતા 17 જાન્યુઆરી 2021ના રોજ ફરીથી પોરબંદર મુંબઇ વચ્ચે ફ્લાઇટ શરૂ થઈ હતી.પરંતુ ત્યાર બાદ કોરોના ની બીજી લહેર ઉપરાંત રનવે સહિતના ટેકનીકલ કારણોસર થોડા સમય બાદ ફરીથી વિમાની સેવા બંધ કરાઈ હતી.

આજે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ નીલેશભાઈ મોરી,એરપોર્ટ ઓથોરીટી ના અધિકારીઓ વગેરે ની ઉપસ્થિતિ માં ફરીથી મુંબઈ ની ફ્લાઈટ નો પ્રારંભ કરાયો હતો. આ ૭૨ પેસેન્જરો ની કેપેસીટી ધરાવતી આ ફ્લાઈટ મુંબઈ થી સવારે 8-૦5 કલાકે ઉપડી હતી.અને 9-૩૦ કલાકે પોરબંદર આવી હતી જેમાં ૫૨ મુસાફરો આવ્યા હતા.જયારે પોરબંદરથી 9:50 એ મુંબઈ તરફ ઉડાન ભરી હતી જેમાં ૫૦ મુસાફરો મુંબઈ ગયા હતા.આ ફ્લાઇટ નો શહેર ના ઉદ્યોગપતિઓ,વેપારીઓ,દર્દીઓ અને એન આર આઈ સહીત મોટી સંખ્યા માં લોકો ઉપયોગ કરતા હતા.પરંતુ ફ્લાઇટ બંધ થતાં તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.અહીંથી કાર માર્ગે રાજકોટ કે જામનગર જઈ ત્યાંથી હવાઈસેવા નો લાભ લેતા હતા.આથી આ અંગે રાજકીય આગેવાનો અને વેપારી સંસ્થાઓ ની દ્વારા અનેક રજૂઆત બાદ આખરે ફ્લાઈટ ફરી શરુ થતા એરપોર્ટ ફરીથી ધમધમતું થયું છે.આ ફ્લાઈટ ની મુંબઈ થી ગોવા,પટના,બેંગ્લોર અને જબલપુર સુધી પણ કનેક્ટિવિટી આપવામાં આવી છે.જેથી શહેરીજનો માં ખુશી જોવા મળે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે