Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:માણાવદર ના પ્રવાસીએ પોરબંદર એસટી ડેપોની સ્વચ્છતા અંગે પત્ર લખ્યો

પોરબંદર

પોરબંદર એસટી ડેપો ની મુલાકાત લઇ માણાવદર પંથકના એક મુસાફરે એસટી ડેપો ની સ્વચ્છતા ને બિરદાવતો પત્ર લખ્યો છે.

પોરબંદર એસટી વિભાગ ને એક મુસાફરે પત્ર લખ્યો છે.જેમાં તેણે એવું જણાવ્યું હતું કે તાજેતર માં તેઓ જુનાગઢ થી પોરબંદર આવ્યા ત્યારે એસટી બસ ડેપો જોઈ ને આનંદ ની લાગણી થઇ હતી.આવું સરસ સ્વચ્છ સુંદર બસ ડેપો જોઈ ને એસટી કર્મચારીઓ નું આ કાર્ય બિરદાવ્યું હતું.અને હમેશા આ સ્વચ્છતા જાળવી રાખવા પણ પત્ર માં અનુરોધ કરાયો છે. જેથી એસટી ના ઇન્ચાર્જ ડેપો મેનેજર મામદભાઈ હિંગોરા સહીત એસટી સ્ટાફ માં પણ આનંદ ની લાગણી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળ બાદ હાલ માં એસટી ડેપો ખાતે મોટી સંખ્યા માં મુસાફરો જોવા મળે છે.ઉપરાંત શાળા કોલેજો ચાલુ થઇ ગઈ હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા માં હોય છે.જેથી પ્રવાસીઓ દ્વારા અહી કચરો ફેંકવામાં આવે ત્યારે મામદભાઈ,હેતલભાઈ રૂઘાણી સહિતનો સ્ટાફ વ્યક્તિગત દેખરેખ રાખી નિયમિત અને વ્યવસ્થિત સફાઈ કરાવે છે.જેથી રાજ્ય ના અન્ય એસટી ડેપો ની સરખામણી એ પોરબંદર નો એસટી ડેપો સ્વચ્છ અને સુઘડ લાગે છે.જેથી બસ આવવાને વાર હોય ત્યારે મુસાફરો ને પણ એસટી ડેપો ખાતે બેસવાનો આનંદ આવે છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે