પોરબંદર
પોરબંદર પાલિકા દ્વારા ઢોલ નગારા વગાડી બાકી નીકળતો વેરો વસુલવામાં આવે છે.ત્યારે ગઈ કાલે રઝા કોમ્પ્લેક્ષ માં વેરો વસુલવા જતા બાકીદાર વેપારી એ નગારા ના તાલે નાચી વ્યાજ માં માફી ની માંગ કરી વેરો ભરવા ઇનકાર કર્યો હતો.
નાણાકીય વર્ષ પૂર્ણતા ને આરે છે ત્યારે પોરબંદર-છાયા નગરપાલિકામાં જે મિલ્કત ધારકોના લાંબા સમયથી વેરો ભરવાનો બાકી છે.તેઓને ત્યાં પાલિકા દ્વારા ઢોલ-નગારા વગાડી વેરા ની વસુલાત કરવાની કામગીરી શરુ કરી છે.જેમાં ગઈ કાલે પાલિકા ના વિપુલ જોશી સહીતનો સ્ટાફ ઢોલનગારા સાથે 7 મિલકતો ના બાકી નીકળતા વેરા વસુલવા માટે ગયો હતો.જેમાં ૧ રહેણાંક અને 6 કોમર્શીયલ મિલકત નો સમાવેશ થાય છે.ઢોલ નગારાના તાલ સાથે વેરા ની કડક વસુલાત થતા ત્રણ બાકીદારો એ બાકી નીકળતો રૂ ૫૮૦૦૦ નો વેરો ભરપાઈ કરી આપ્યો હતો.
જયારે એમજી રોડ પર આવેલ રઝા કોમ્પ્લેક્ષ માં ફૂટવેર ના વેપારીનો રૂ ૧૨ હજાર નો વેરો ઘણા સમય થી બાકી છે. આથી ત્યાં ઢોલ નગારા ના નાદ સાથે વેરો વસુલવા જતા પાલિકા ટીમ ને આશ્ચર્યજનક અનુભવ થયો હતો.અહી વેપારી એ વેરો ભરવાને બદલે ઢોલ-નગારાના તાલે રમવાનુ શરું કરતા પાલિકના કર્મચારીઓ અને આસપાસના વેપારીઓ પણ આશ્ચર્ય પામ્યા હતા.
વેપારી એ એવું જણાવ્યું હતું કે કોરોના ના કારણે છેલ્લા ઘણા સમય થી ધંધા ખોરવાઈ ગયા છે.જેથી તેઓ આર્થીક પાયમાલ થઇ ગયા છે.ત્યારે પાલિકા દ્વારા વેરા નું ૧૮ ટકા જેવું કમરતોડ વ્યાજ વસુલવામાં આવે છે.તે વસુલવું ન જોઈએ.અને હાલ માં વેરા માં વ્યાજ માફી ની રજુઆતો પણ થઇ છે.આથી જયારે વ્યાજ માફી ની જાહેરાત થશે.ત્યાર બાદ જ તેઓ વેરો ભરશે તેવું જણાવતા પાલિકા ની ટીમ ત્યાંથી વિલા મોઢે પરત ફરી હતી.
જુઓ આ વિડીયો