Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના સુદામા મંદિર ખાતે અખાત્રીજ ના દિવસે હજારો ભક્તો એ સુદામાજી ના ચરણસ્પર્શ નો લાભ લીધો

પોરબંદર

પોરબંદર ના સુદામા મંદિર ખાતે અખાત્રીજ ના દિવસે ભક્તો ને નિજ મંદિર માં પ્રવેશ આપવા આવ્યો હતો.વર્ષ માં ફક્ત એક વખત ભક્તો ને સુદામાજી ના ચરણસ્પર્શ કરવાની તક મળતી હોવાથી મંદિર ખાતે સવાર થી જ ભક્તો ની કતાર લાગી હતી.

સુદામાનગરી પોરબંદર શહેરમાં અક્ષય તૃતિયાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.સુદામાજીના મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ચરણસ્પર્શ કરવાનો ભાવિકોને લ્હાવો મળે છે.સમગ્ર ભારતમાં એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદર શહેરમાં આવેલું છે.અહી દરરોજ દેશભર માંથી મોટી સંખ્યા માં પ્રવાસીઓ દર્શનાર્થે ઉમટી પડે છે.દરવર્ષે સુદામા મંદિરે અક્ષય તૃતીયાના દિવસે એક દિવસ નિજ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવે છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાને પગલે આ આયોજન કરાયું ન હતું.ત્યારે આ વખતે અખાત્રીજ ના દિવસે સવારે 6 થી રાત્રે 8:30 કલાક સુધી સુદામાજીનું નિજ મંદિર ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું.જેથી વહેલી સવાર થી જ દર્શન માટે ભક્તો ની કતાર લાગી હતી અને નિજ મંદિર માં પ્રવેશ કરી સુદામાજીના ચરણ સ્પર્શ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.ભક્તો ને સુદામાજી ના પ્રિય એવા પૌવા અને તાંદુલ ની પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું હતું.તો ટેક્સી ઓનર્સ એસોસિએશન દ્વારા દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે શરબત ની સેવા આપવામાં આવી હતી.મહંત ઘનશ્યામભાઈ અને પાર્થભાઈ રામાવત દ્વારા દરેક ભક્ત ને દર્શન નો લાભ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જુઓ આ વિડીઓ

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે