પોરબંદર
પોરબંદરના પક્ષી અભયારણ્ય માં અવારનવાર કુતરાઓ ઘુસી અને પક્ષીઓ ના શિકાર કરતા હોવાના બનાવો બને છે. તેમ છતાં વન વિભાગ ઘોર નિંદ્રા માં છે.જેથી પક્ષીપ્રેમીઓ માં ભારે રોષ જોવા મળે છે.
પોરબંદર શહેર મધ્યે 9.33 હેકટર જમીન માં પક્ષી અભયારણ્ય આવેલું છે.આ અભયારણ્ય ખાતે પક્ષીઓ માટે ૧૨ જેટલા માઉન્ટ બનાવ્યા હોવાથી અહીં અનેક સ્થાનિક તથા વિદેશી પક્ષીઓ મુકામ કરે છે.આ ઉપરાંત જે પક્ષીઓ ઈંજાગ્રસ્ત બને છે.તે ઉપરાંત પતંગ ના દોરા ના કારણે અપંગ બનેલ કુંજ પક્ષીઓ એ પણ અહી કાયમી વસવાટ કર્યો છે.પરંતુ પક્ષી અભયારણ્ય ખાતે શ્વાનોનો ત્રાસ જોવા મળે છે.
અવારનવાર શ્વાનો પક્ષી અભયારણ્ય ખાતે ઘુસી અને પક્ષીઓ ની પાછળ ઉડી તેની પજવણી કરે છે.અને હુમલા કરી ઈજાગ્રસ્ત કરે છે.ઉપરાંત શ્વાન દ્વારા અનેક પક્ષીઓના શિકાર પણ થઈ રહયા છે.પક્ષીઓ માટે બનાવવામાં આવેલા અભયારણ્ય માં જ પક્ષીઓ નું રક્ષણ કરવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યો હોય તેવું પક્ષી પ્રેમીઓ ને લાગી રહ્યું છે.વન વિભાગે શ્વાન તથા ડુક્કર ની ઘુસણખોરી અટકાવવા અભયારણ્ય ની ચારે તરફ મસમોટો ખર્ચ કરી ને ફેન્સીંગ પણ ગોઠવી હતી.તેમ છતાં શ્વાનો કઈ રીતે ઘુસણખોરી કરે છે.તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.આથી વન વિભાગ ઊંઘ માંથી જાગી અને પક્ષીઓ નું રક્ષણ કરવા કટિબદ્ધ બને તેવી પક્ષીપ્રેમીઓ માંગ કરી રહ્યા છે.
જુઓ આ વિડીયો