Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ના ખારવાવાડ ના કેટલાક વિસ્તારો માં દસ દિવસ થી પાણી વિતરણ ન થતા મહિલાઓ વિફરી

પોરબંદર

પોરબંદરના ખારવાવાડના કેટલાક વિસ્તારોમાં પાલિકા દ્વારા 10 દિવસથી પીવાનું પાણી વિતરણ ન કરવામાં આવતા મહિલાઓ વિફરી હતી.અને ઉંધા બેડા રાખી પ્રદર્શન કરી નિયમિત પાણી વિતરણ ની માંગ કરી હતી.

નર્મદા ની પાઈપલાઈન રાણાવાવ નજીક લીકેજ થતા છેલ્લા એક અઠવાડિયા થી પોરબંદર શહેર માં પાણી વિતરણ ની કામગીરી ખોરવાઈ છે.તેમાં પણ ખારવાવાડ વિસ્તારમાં છેલ્લા દસ દિવસ થી પાણી વિતરણ ન થતા મહિલાઓએ વિફરી હતી.અને ઉંધા બેડા રાખી જાહેર માં રોષ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓ એ જણાવ્યું હતું કે ખારવાવાડના મીઠી મસ્જિદ વિસ્તાર,ગરબી ચોક,ચોગાન ફળિયું,પંચહાટડી,મંમાઈચોક, ગરબીચોક,હેઠાણફળિયું,જૂનો મચ્છીમાર્કેટ વિસ્તાર,મોટી માતાજી વિસ્તાર વગેરે સ્થળો એ પાલિકા દ્વારા છેલ્લા દસ દિવસ થી પીવાનું પાણી વિતરણ કરાયું નથી.જેથી બહેનો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે.આ વિસ્તાર માં ગરીબ અને મધ્યમવર્ગ ના લોકો રહે છે.તેઓને દરરોજ પાણી વેચાતું લેવાનું પરવડતું નથી.આ વિસ્તાર માં છેલ્લા ઘણા દિવસ થી ચાર દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવતું હતું.તે પણ દસ દિવસ થી વિતરણ કરાયુ નથી.આ વિસ્તારમાં મોટા ભાગ ની જાહેર ડંકીઓ બંધ હાલતમાં છે.તેનું પણ સમારકામ કરાવવામાં આવતું નથી.બોર માં પણ ખારું પાણી આવે છે.જેથી અહી નિયમિત પાણી વિતરણ કરવામાં આવે તથા ડંકીઓ નું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે