Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:પોરબંદર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચંડની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી

પોરબંદર
પોરબંદર ખાતે સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન ની જન્મજ્યંતિ અને નવું વર્ષ એટલે કે ચેટીચંડ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સવારે 6-૩૦ કલાકે પ્રભાતફેરી,દરિયાલાલની પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું.જે સિંધુ ભવન થી પેરેડાઇઝ ફુવારા થઇ ને કનકાઈ મંદિર ગેઇટ ચોપાટી સુધી પહોંચ્યા બાદ ચોપાટી ખાતે પૂજા અર્ચના,અખો પલ્લવ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.ત્યાર બાદ ૧૦-૩૦ વાગ્યે સિંધુ ભવન ખાતે ધ્વજારોહણ, ભજન,પૂજા આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા.ત્યાર બાદ ઝૂલેલાલ મંદિર ખાતે સાંજે 4 થી 5 ભજન કીર્તન આરતી સહિતના કાર્યક્રમ નું આયોજન અને સાંજે શોભાયાત્રા નું આયોજન કરાયું હતું.જે પ્લાઝા ટોકીઝ સિંધી લાઈન થી નાનો ફુવારો,મોટો ફુવારો થઇ જુરીબાગ થી કનકાઈ મંદિર થઇ ચોપાટી ખાતે પૂર્ણ થઇ હતી.સમગ્ર ઉજવણી માં સિંધી સમાજ પોતાના વેપાર ધંધા બંધ રાખી પરિવાર સાથે ઉત્સાહ પૂર્વક જોડાયો હતો.

પોરબંદર સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન ના ચેટીચંડ ઉત્સવ માં સવાર ના સિંધુ ભવન માં થી ભજન પંજડા ગાઈ પ્રભાત ફેરી કાઢી ને ચોપાટી ઉપર અખા પલ્લવ ની વિધી કરી ને પ્રસાદ નું વિતરણ કરવા માં આવેલ
ત્યાર બાદ સિન્ધુભવન માં ઝુલેલાલ મંદિરમાં ધ્વજા ચડાવીને ઝુલેલાલ ભગવાન ની પૂજા અર્ચના કરવા માં આવેલ
બપોરે સમગ્ર સિંધી સમાજ દ્વારા ભેગા મળી ને સિન્ધુભવન માં મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવેલ
સાંજે સમાજ ની એકતા રૂપી વિવિધ ઝાંખી દ્વારા ભવ્ય શોભાયાત્રા સુદામા ચોક થી શરૂઆત કરી ને જુના ફુવારા થઈ ને ઝૂરીબાગ માં રાસ ની રમઝટ બોલાવી હતી ત્યાં થી ચોપાટી ઉપર લોર્ડસ હોટલ ની સામે જલ અને જયોત નું પૂજન કરી જ્યોત સાહેબ નું વિસર્જન કરેલ,
આ શોભાયાત્રા માં ભાજપ આગેવાનો બાબુભાઇ બોખીરીયા ના પીએ નાગજણ ઓડેદરા,લકીરાજ સિંહ વાળા, મનીષભાઈ શિયાળ ભરતભાઇ રાઠોડ,સંજયભાઈ લોઢારી,ભાવિનભાઈ સલેટ,સુરજભાઈ મારુ,સરોજબેન કક્કડ, સવિતાબેન કુહાડા, જસ્વીન્દર કૌર,આગેવાનો હાજર રહેલા
અને ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ ખારવા સમાજ ના આગેવાનો સાથે હાજર રહેલા અને બોટ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તેની ટીમ સાથે હાજર રહેલા.પડ એસોસિએશન ના પ્રમુખ હાર્દીક ભાઈ લાખાણી તેના સાથીદારો સાથે હાજર રહેલા.નવીબંદર ખારવાસમાજ ના પ્રમુખ નરેન્દ્રભાઇ કણકીયા અને બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાનો નિલેશભાઈ કિશોર અને મુળુભાઈ આ શોભાયાત્રા માં હાજર રહી ને ઝુલેલાલ ભગવાન ના હારતોરા કરેલા હતા
આ ઉત્સવ ને સફળ બનાવવા માટે સિંધી સમાજ ના આગેવાનો આસનદાસ હરિયાણી,યુવા આગેવાનો રવિભાઈ નેભનાણી,ભીખુભાઈ ભાવનાણી,જગદીશ ખટવાણી,રાજુભાઇ ચીમનાણી,હેમનભાઈ ભાવનાણી,શ્રીચંદ ભાવનાણી, જીતુભાઇ દરેડી,અજયભાઈ આસનાણી,રાજેશભાઈ બજાજ,લક્ષ્મણભાઇ સખીજા અને દિનેશભાઇ હરીયાણી ભેગા મળી ને ઉત્સવ ને સફળ બનવવા જહેમત ઉઠાવેલ.

જુઓ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે