Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:અંતે પોરબંદર સિવિલ હોસ્પિટલ માં ઓર્થોપેડિક તબીબ ની નિમણુક કરાઈ

પોરબંદર

પોરબંદર સિવિલ હોસ્પિટલ માં ઓર્થોપેડિક તબીબ નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવા તબીબ ની નિમણુક ન કરવામાં આવતા દર્દીઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડતો હોવા અંગે ગત અઠવાડિયે પોરબંદર ટાઈમ્સ માં અહેવાલ પ્રસારિત થયા બાદ હોસ્પિટલ ના તંત્ર દ્વારા ઓર્થોપેડિક ડોક્ટર ની નિમણુક કરાઈ છે.

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ એ જીલ્લા ની મુખ્ય સરકારી હોસ્પિટલ હોવાથી જીલ્લાભર ના દર્દીઓ મોટી સંખ્યા માં સારવાર માટે આવે છે.પરંતુ અહી ગત તા ૧૦ ના રોજ ઓર્થોપેડિક તબીબ નો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવા તબીબ ની નિમણુક કરવામાં આવી ન હતી.જેથી દર્દીઓ ને ભારે મુશ્કેલી પડી રહી હતી.દરરોજ નાના મોટા અકસ્માત સહીત અનેક દર્દીઓ અહી સારવાર માટે આવે છે.ઉપરાંત અગાઉ અહી ઓપરેશન થયા હોય તેવા દર્દીઓ પણ ફોલો અપ માટે આવતા હોય છે.પરંતુ તબીબ ન હોવાથી ન છુટકે તમામ દર્દીઓ ને ખાનગી હોસ્પિટલ નો સહારો લેવો પડતો હતો.જે અંગે તા ૧૬ મે ના રોજ  પોરબંદર ટાઈમ્સ માં અહેવાલ પ્રસારિત કરી દર્દીઓ ની મુશ્કેલી ને વાચા આપી હતી.ત્યાર બાદ હોસ્પિટલ નું તંત્ર હરકત માં આવ્યું હતું અને તબીબની નિમણુક કરવા કાર્યવાહી ધરી હતી.અને ગઈકાલથી તબીબ ની નિમણુક થઇ જતા દર્દીઓએ પણ રાહત નો શ્વાસ લીધો હતો.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે