પોરબંદર
પોરબંદર શહેર ના વાઘેશ્વરી પ્લોટ વિસ્તાર માં રહેણાંક મકાન માં આગ ના કારણે ઘરવખરી સળગી ગઈ હતી.જયારે કે કે નગર માં પણ આગ ના કારણે ટીવી સળગી ગયું હતું.
પોરબંદર શહેર માં વરસતા વરસાદ વચ્ચે આગ ના બે બનાવ બન્યા હતા.જેમાં વાઘેશ્વરી પ્લોટ માં રહેતા સાગરભાઈ લાલચેતાના મકાનના પહેલા માળે આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી.અને પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.આગ ના કારણે ઉપર ના માળે આવેલ રૂમ ના ફર્નિચર સહિત તમામ ઘરવખરી સળગી ગઈ હતી.જો કે પરિવાર નીચે ના માળે હોવાથી કોઈ ને ઈજા થઇ ન હતી.આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.
તો બીજી તરફ બોખીરા વિસ્તારમાં આવેલ કે કે નગરમાં રહેતા ચિરાગભાઈ લોઢારીના રહેણાંક મકાન માં પણ શોટ સર્કીટ ના કારણે આગ લાગતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી.અને આગને કાબુમાં લીધી હતી.આગ ના કારણે ટીવી બળી ગયું હોવાનું જાણવા મળે છે.બન્ને સ્થળે આગ બુઝાવવામાં ફાયર ઓફિસર રાજીવ ગોહેલ, ડ્રાઇવર અલી મામદ, મેરુ કાના, ફાયરમેન રવિ ચુડાસમા,નિમેષ ગોહેલ,આનંદ કુંડલિયા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.