Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ની કામગીરી દરમ્યાન અકસ્માત નો ખતરો:બેરીકેટ રાખી કામગીરી કરવા માંગ ઉઠી

પોરબંદર

પોરબંદર ના એમજી રોડ પર બનતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કામગીરીમાં બેરીકેટ રાખ્યા વગર કામ થતું હોવાથી અકસ્માત નો ખતરો ઉભો થયો છે.જેથી અહી આડશ રાખી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોરબંદરના રાણીબાગ ચાર રસ્તા નજીક એમજી રોડ સુધીના વિસ્તારમાં ત્રણ દાયકા થી ભરાતા વરસાદી પાણીની સમસ્યા નો નિકાલ લાવવા પાલિકા દ્વારા તાજેતર માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી શરુ કરવામાં આવી હતી.જેમાં ૫ થી ૭ ફૂટ સુધીના ખાડા કરી દેવાયા છે.પરંતુ અહીં બેરીકેટ મુકવામાં આવ્યા નથી.જેથી રાત્રીના સમયે આ મહાકાય ખુલ્લી ગટરમાં લોકો અને પશુઓ પડી જવાથી ઈજાગ્રસ્ત કે જાનહાની થાય તેવો ભય રહેલો છે.આ મુખ્ય માર્ગ હોવાથી દિવસ રાત વાહનો અને રાહદારીઓ થી સતત ધમધમતો રહે છે.જેથી કોઈ અકસ્માત કે જાનહાની થાય તે પહેલા ખોદકામ પાસે બેરીકેટ મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે