Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રહેણાંક મકાન ના એસી માં શોટ સર્કીટ ના કારણે આગ:દોઢ લાખ નું નુકશાન

પોરબંદર

પોરબંદર ના કડીયાપ્લોટ વિસ્તાર માં રહેણાંક મકાન ના એસીમા શોટ સર્કિટ ના કારણે આગ લાગી હતી.આથી ફાયર બ્રિગેડની ટીમે 1 કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.આગ ના કારણે મકાનના ફર્નિચર સહિતની વસ્તુ સળગી જતા દોઢેક લાખ નું નુકશાન થયું હતું.

પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં.1માં આવેલ નાગબાઈ મંદિર પાસે રહેતા હરીશ રતિલાલ કાનાબારના રહેણાંક મકાના બપોરે એકાદ વાગ્યે એસીમાં શોટ સર્કિટ થતા આગ લાગી હતી.જેથી આ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર રાજીવ ગોહેલ,સરમણ કુછડીયા,પ્રદીપ ચાવડા,જતિન ચાવડા સહિતની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી.અને પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.એક કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.જો કે એસી તથા ફર્નિચર અને કપડા સહિતની ચીજો સળગી ને ખાખ થઇ જતા અંદાજે રૂ.1.50 લાખનું નુકશાન થયું હતું.જો કે સદનસીબે જાનહાની ટળી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે