પોરબંદર
કોસ્ટગાર્ડ દ્વારા ૨૦૧૭ ની સાલમાં પોરબંદર નજીક ના દરીયા માંથી ઝડપેલા સાડા ચાર હજાર કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ મુંબઈ ના શખ્શ ની જામીન અરજી કોર્ટે ફગાવી છે.
પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ૨૦૧૭ ની સાલમાં દરીયા માંથી સાડા ચાર હજાર કરોડનું ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું હતું.આ ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સો પાસે થી મુંબઈ ના વિશાલકુમાર જીતેન્દ્રકુમાર યાદવ નું નામ ખુલ્યું હતું.જેથી તે સમયે તેની ધરપકડ કરી રાજકોટ ખાસ જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો.
વિશાલે તે ગુન્હા માં નિર્દોષ હોવાનું જણાવી કોર્ટમાં જામીન મૂકત થવા અરજી કરી હતી.જે અંગે ફરીયાદ પક્ષે સેન્ટ્રલ ગર્વમેન્ટના કાઉન્સીલ એમ.જી.શીંગરખીયાની નિમણુંક થયેલ હોવાથી તેઓએ ફરીયાદ પક્ષે હાજર થઈ કોર્ટ સમક્ષ દલીલો કરતાં જણાવ્યું હતું કે આટલી મોટી માત્રામાં માદક પદાર્થ દેશમાં ગેરકાયદેસર રીતે ઘુસાડી દેશના યુવાધનને બરબાદ કરી નાંખી અને સમગ્ર દેશને ખૂબ જ ગંભીર રીતે નુકશાન પહોંચાડવાનો બદ ઈરાદો પાર પાડવાના આશ્રયથી આટલી મોટી માત્રામાં માદક પદાર્થ ઘુસાડવામાં આવ્યો હતો.
જે અતિ ગંભીર બાબત કહેવાય અને આવા ગંભીર પ્રકારના ગુન્હેગારોનો મનસુબો પૂર્ણ થાય તે પહેલા જ પકડી પાડવામાં આવ્યો હતો.આ ગુન્હો દેશદ્રોહનો ગુન્હો છે.અને તેથી આવા અતિગંભીર પ્રકારના ગુન્હાના કામે સંડોવાયેલ આરોપીઓને જામીન મૂકત કરવા કોઈપણ રીતે ન્યાયોચીત નથી.અને જો આવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓને સહેલાઈથી જામીન મૂકત કરી દેવામાં આવે તો ફરીથી દેશના યૂવાનોને બરબાદ કરી નાંખવા અને નસીલા પદાર્થ ગેરકાયદેસર રીતે ઘુસાડી પોતાનો બદઈરાદો પાર પાડવાની પ્રેરવી કરે તેવી પુરેપુરી શક્યતાં રહેલી છે.તેથી અરજદારની જામીન મૂકત થવાની માંગણી નામંજુર કરવા જણાવ્યું હતું.કોર્ટે રેકર્ડ તપાસી તેમજ ગુન્હાની ગંભીરતાં તેમજ મૂળ ફરીયાદ પક્ષની રજૂઆતોને ધ્યાને લઈ આરોપીની જામીન અરજી ફગાવી દેવાનો હુકમ કર્યો છે.ફરિયાદ પક્ષે જે પી ગોહિલ ની ઓફીસ તરફ થી સેન્ટ્રલ ગર્વમેન્ટના કાઉન્સીલ તરીકે નિમણૂંક પામેલ એમ.જી.શીંગરખીયા તથા તેમની સાથે એન.જી.જોષી તથા વી.જી.પરમાર રોકાયેલા હતા.