Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન કાર્યક્રમ હેઠળ ૧૯૧ લાખ નું ધિરાણ મંજુર કરાયું

પોરબંદર

પોરબંદર ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બેંકો દ્વારા સખી મંડળની ૧૯૧ અરજીઓ મંજુર કરી કુલ ૧૯૧ લાખનું ધિરાણ મંજુર કરવામાં આવ્યુ હતું.

પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન (NRLM) હેઠળ ગ્રામીણ વિસ્તારનાં સ્વસહાય જુથોને બેંક લિંકેજના ભાગરૂપે કેશ ક્રેડીટ લોન આપવા અંગેનો જિલ્લા કક્ષાનાં કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત સભાખંડ પોરબંદર ખાતે કરવામાં આવ્યુ હતુ.જેમાં જિલ્લા વિકાસ અધિકારી,નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ લીડ બેંક મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લાની વિવિધ બેંકો દ્વારા સખીમંડળોની કુલ: ૨૯૨ જેટલી અરજીઓ બેંકો દ્વારા સ્વીકારી ૧૯૧ અરજીઓ મંજુર કરી કુલ ૧૯૧ લાખનું ધિરાણ મંજુર કરવામાં આવ્યુ હતુ.

મહિલા સશક્તિકરણનાં ભાગરૂપે ગ્રામીણ વિસ્તારના મહિલાઓને સ્વસહાય જુથમાં સંગઠિત કરી તેઓને કૌશલ્ય તાલીમ દ્વારા તાલીમ પુરી પાડી આર્થિક પ્રવૃતિઓ સાથે જોડવામાં આવે છે. તેઓને નાણાકીય જરૂરીયાતોનાં સંદર્ભમાં તેમને સરકારશ્રી દ્વારા રીવોલ્વીંગ ફંડ અને તેઓના ગ્રામ સંગઠનને કોમ્યુનીટી ફંડ ચુકવવામાં આવે છે.

બેંકો સાથે તેઓનું જોડાણ કરી તેઓને કેશક્રેડીટ લોન પુરી પાડવામાં આવે છે. આજ રોજ જિલ્લાની વિવિધ બેંકો દ્વારા સખીમંડળોની કુલ: ૨૯૨ જેટલી અરજીઓ બેંકો દ્વારા સ્વીકાર કરવામાં આવી તેમજ ૧૯૧ અરજીઓ મંજુર કરી કુલ ૧૯૧ લાખનું ધિરાણ મંજુર કરવામાં આવ્યુ.

આ કાર્યક્રમને સફળ બનાવવા નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે