Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે કરુણા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ:ઉત્તરાયણ દરમ્યાન ઓછા માં ઓછા પક્ષી ઈજાગ્રસ્ત થાય તે માટે પ્રયાસ

પોરબંદર

પોરબંદર જિલ્લામાં પતંગના દોરથી ઓછા ઓછા પક્ષી ઈજાગ્રસ્ત થાય અને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓ ને યોગ્ય સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી.

પોરબંદર માં ઉત્તરાયણને લઈ લોકો પતંગ ખરીદવા અને ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે.બીજી બાજુ વન વિભાગ ઉત્તરાયણમાં પતંગથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે.અને પક્ષીઓના જીવ ન જાય તેના માટે સજ્જ બન્યો છે.પોરબંદર પંથક માં મોટી સંખ્યા માં વિદેશી પક્ષીઓ એ પડાવ નાખ્યો છે.હાલ ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરથી અનેક પક્ષીઓ ઈંજાગ્રસ્ત બને છે.અને મોત ને પણ ભેટે છે.ત્યારે ઓછા માં ઓછા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તે માટે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી.

નાયબ વન સંરક્ષક દીપકભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે તા 10 થી તા.20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે. જે અંતર્ગત ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પક્ષીઅભ્યારણ્ય ખાતે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવશે.જેમાં વેટરનરી તબીબ કણઝારીયા સહિત પશુ દવાખાનાના તબીબ હાજર રહેશે.ઘાયલ પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન,દવા,બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવશે.

ખાસ તા. 14 અને 15 ના રોજ પક્ષીઓ ને ઈજા થવાના વધુ બનાવ બનતા હોવાથી બે દિવસ તબીબનો સ્ટાફ વધારવા માં આવશે.1962 એનિમલ હેલ્પલાઇન તેમજ ફોરેસ્ટના વાહનો પણ રાખવામાં આવશે.અને જિલ્લામાં વિવિધ સંસ્થાના કાર્યકરો ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે તૈયાર રહેશે.પતંગના દોરથી ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવશે.બેઠક માં વીસ થી વધુ સેવાભાવી સંસ્થાઓ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વન વિભાગે લોકોને સવારે 9 પહેલા અને સાંજે 7 પછી પતંગ ન ઉડાવવા અપીલ કરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે