પોરબંદર
કુતિયાણા ના વડાળા ગામે બે સ્થળો એ ગૌચર ની જમીન પર પેશકદમી કરી રહેણાંક મકાન ખડકી દેવા મામલે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કુતિયાણા ના તાલુકા વિકાસ અધિકારી કમલેશકુમાર ઠાકોરલાલ ઠક્કર (ઉવ ૫૬)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ વડાળા ગામે રહેતા સુરેશ નાગદાનભાઈ છૈયા નામના શખ્શે વડાળા ગામે ગૌચરની રેવન્યુ સવે નંબર.૮૬(જુના રેવન્યુ સવે નં ૧૧૪ પૈકી/૧) ૨૦૯ ચો.મી જમીન જેની જંત્રી મુજબ અંદાજીત કીમત રૂા.૪૧,૮૦૦/- ની જમીન ઉપર બે વર્ષ થી રહેણાંક મકાન બનાવી અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવા માટે કબ્જો કર્યો છે.એ સિવાય વડાળા ગામે જ રહેતા જયદીપ નારણભાઈ વીરડા નામના શખ્શે પણ ગૌચર ની રેવન્યુ સર્વે નં ૮૬(જુના રેવન્યુ સર્વે નં ૧૧૪ પૈકી /૧ ની ૭૦૦ ચો મી જમીન કે જેની જંત્રી મુજબ અંદાજીત રૂ ૧,૪૦,૦૦૦ ની કીમત ની જમીન પર છેલ્લા આઠ વર્ષ થી રહેણાંક મકાન બનાવી અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવા માટે કબ્જો કર્યો છે.પોલીસે બન્ને શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.